Friday, November 23, 2018

જયારે તમને કોઈ ગમે, ત્યારે?

પ્રેમની વાત તો ઘણા કહી ગયા,
આ તો હું મારો અનુભવ વ્યક્ત કરું છું.
દોસ્ત, વાત કૈંક આમ છે કે
દિલ દીવડો થઇને પ્રગટે અને
જીવન પ્રસંગ બનવા લાગે.
જયારે તમને કોઈ ગમે,
ત્યારે તમને બધું જ ગમવા લાગે.

જેમ ગુલાબને એની મહેકની જાણ નથી,
એમ એ મારા પ્રેમથી અજાણ છે.
મન ખોવાઈ જાય છે એમના ખયાલોમાં,
મારા શબ્દોનું એમાં જ નિર્માણ છે.
તમે એમનામાં ખોવાઈ જાવ અને
મન થપ્પો દાવ રમવા લાગે.
જયારે તમને કોઈ ગમે,
ત્યારે તમને બધું જ ગમવા લાગે.

વર્ષોથી એમના નામની
વાંસળી કૈંક આવી વાગે છે.
કે કૃષ્ણ રાધાની કહાની
કૈંક એવી જ સરખી લાગે છે.
ડરપોક દિલ બોલી ને તો રહ્યું પણ
ખુલ્લેઆમ ગઝલો લખવા લાગે.
જયારે તમને કોઈ ગમે,
ત્યારે તમને બધું જ ગમવા લાગે.

No comments:

Post a Comment